30 વર્ષ પછી હોળીના દિવસે બનશે ત્રિગ્રહી યોગ:મેષ, મિથુન સહિત 5 રાશિનો થશે ભાગ્યોદય; હોલિકાદહન સમયે કરો આ 1 પાઠ, તમામ દુઃખ-દર્દ થશે દૂર
હિન્દુ ધર્મમાં હોળી પ્રમુખ તહેવાર પૈકી એક છે, પૌરાણિક કથા અનુસાર ભક્ત પ્રહલાદની રક્ષા માટે નરસિંહ અવતાર લઈને ભગવાન વિષ્ણુએ હિરણ્યકશિપુનો વધ કર્યો હતો ત્યારથી આ તહેવાર ઊજવવાની પરંપરા ચાલી આવે છે. ફાગણ મહિનાની પૂનમના દિવસે હોલિકાદહન કરવામાં આવે છે અને બીજા દિવસે એટલે કે રંગોની હોળી રમવામાં આવે છે. ઘણાં વર્ષ બાદ ભદ્રામુક્ત હોલિકાદહનનો યોગ બની રહ્યો છે.
આ પણ વાંચો :- 👉🏻 मोबाइल का साउंड डबल करने की Trick
આ બની રહ્યો છે સંયોગ
હોલિકાદહનના દિવસે શનિની રાશિ કુંભમાં સૂર્ય, બુધ અને શનિનો ત્રિકોણાકાર યોગ બની રહ્યો છે. આ પ્રકારનો સંયોગ 30 વર્ષ પછી બની રહ્યો છે. આ પહેલાં વર્ષ 1993માં હોલિકાદહનના અવસર પર આ ત્રણ ગ્રહો કુંભ રાશિમાં હતા. આ ત્રિગ્રહી યોગ ઉપરાંત મીન રાશિમાં ગુરુ અને શુક્રના સંયોગથી પણ શુભ યોગ બની રહ્યા છે. શુક્ર પોતાની ઉચ્ચ રાશિમાં હોવાના કારણે માલવ્ય યોગ અને ગુરુ પોતાની રાશિમાં હોવાને કારણે હંસા કહેવાતા રાજયોગ બની રહ્યા છે. સાથે જ કુંભ રાશિમાં સૂર્ય અને બુધના સંયોગથી બુધાદિત્ય યોગ પણ બની રહ્યો છે. બુધાદિત્ય રાજયોગને જ્યોતિષમાં ખૂબ જ શુભ માનવામાં આવે છે, ગ્રહોનું આ પરિવર્તન મેષ, મિથુન, સિંહ, ધન અને મીન રાશિના જાતકોને શુભ ફળ અને લાભ આપશે.આ પણ વાંચો :- 👉 फेसबुक पर फोटो अपलोड करने से पहले इसका प्रयोग करें, आपको और अधिक likes मिलेगी
7 માર્ચે કરવામાં આવશે હોલિકાદહનવર્ષે ફાગણ પૂર્ણિમાની તિથિ 06 માર્ચ, મંગળવારે સાંજે 04:17 વાગ્યે શરૂ થશે અને 07 માર્ચ, બુધવારે સાંજે 06:09 વાગ્યે સમાપ્ત થશે. આ સ્થિતિમાં, 07 માર્ચ મંગળવારે હોલિકાદહન કરવામાં આવશે.
આ પણ વાંચો :- 👉🏻 आप बूढ़े👴🏾होंगे तब आप कैसे देखेंगे जरुर जानिए
હોલિકાદહન 2023 મુહૂર્ત
7 માર્ચ મંગળવારે હોલિકાદહન યોજાશે. આ દિવસે હોલિકા દહનનું મુહૂર્ત સાંજે 06:24થી 08:51 વાગ્યા સુધી રહેશે. એટલે કે હોલિકાદહન માટે તમને માત્ર 02 કલાક 27 મિનિટનો જ સમય મળવાનો છે. આ સમયગાળા દરમિયાન હોલિકાને દહન કરવું બેસ્ટ રહેશે.હોલિકાદહનના દિવસે કરો આ ઉપાયો
- હોલિકાદહનના દિવસે ઘરમાંથી ઉતારો કરીને હોલિકામાં નાખવામાં આવે તો ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેનાથી બધી જ નકારાત્મક શક્તિઓ દૂર થઈ જાય છે. ઘર, દુકાન અને કાર્યસ્થળની નજર ઉતાર્યા બાદ હોલિકામાં સળગાવવાથી તમામ અવરોધો દૂર થાય છે.
- જો તમે કોઈ પણ પ્રકારનાં ભય કે દેવાથી પરેશાન છો તો હોલિકાદહનની સાંજે નરસિંહ સ્તોત્રનો પાઠ કરવાથી લાભ થાય છે.
- જો તમે કે ઘરના કોઈ સભ્ય સતત શારીરિક બીમારીથી પરેશાન રહેતા હોવ તો હોલિકાદહન બાદ બચેલી રાખને દર્દીની સૂવાની જગ્યા પર છાંટો. તેનાથી રોગમાંથી ઝડપથી રાહત મળે છે. સફળતા માટે હોલિકાદહન સ્થળ પર નારિયેળ અને સોપારી ચઢાવો.
આ પણ વાંચો :- 🎵 अपने नाम का DJ song बनाये (हिंदी में शिखे)🎵
- ઘરના ક્લેશથી પરેશાન છો તો સુખ-શાંતિ મેળવવા માટે હોલિકાના અગ્નિમાં જવ અને લોટ ચઢાવો. દાંપત્યજીવનમાં શાંતિ માટે હોળી દહનની રાત્રે ઉત્તર દિશામાં એક પ્લેટ પર સફેદ કપડું પાથરવું. હવે મગ, ચણાની દાળ, ચોખા, ઘઉં, અડદની દાળ, કાળા અડદ અને તલના ઢગલા પર નવગ્રહ યંત્ર સ્થાપિત કરો. આ પછી, કેસરના તિલકની પૂજા કરો અને ઘીનો દીવો પ્રગટાવો.
- હોલિકાદહનના બીજા દિવસે હોલિકાની ભસ્મ લઈને તેને લાલ રૂમાલમાં બાંધીને પૈસાની જગ્યાએ રાખી દો. એવું માનવામાં આવે છે કે આ નકામા ખર્ચને અટકાવે છે.
- લગ્નમાં કોઈ પણ પ્રકારની અડચણ આવતી હોય તો હોળીના દિવસે સવારે એક પાન પર એક આખી સોપારી લો અને શિવલિંગ પર ચઢાવો. હવે પાછા ફર્યા વગર ઘરે આવજે. બીજા દિવસે પણ એવું જ કરો. આનાથી વહેલાં લગ્ન થાય છે.
આ પણ વાંચો :- 🏠आपके गांव की "BPL" लिस्ट चेक करे Update new
હોળી પ્રાગટ્ય અને મહિમા
અસુરરાજ હિરણ્યકશ્યની બહેન હોલિકાને વરદાનમાં વસ્ત્ર મળેલ કે જેને ઓઢવાથી તેને અભેદ્ય સુરક્ષા કવચ પ્રદાન કરે જે આગ, અસ્ત્ર, શત્રુ, આફત સામે રક્ષણ મળે, આ વરદાનનો લાભ અસુરરાજ હિરણ્યકશિપુએ લીધો, તેણે જોયું કે અસહ્ય ત્રાસ આપવા છતાં પ્રહલાદે વિષ્ણુભક્તિ છોડી નહીં અને તેના કારણે તેની હત્યા કરવાનો નિર્ણય લીધો, જેમાં લાકડાના ઠગલા ઉપર હોલિકા વરદાનરૂપી વસ્ત્ર ઓઢી અને પ્રહલાદને ખોળામાં બેસાડી સળગાવી દેવો પરંતુ હોળીની જ્વાળા પવનના વેગથી હોલિકાનું વરદાનરૂપી વસ્ત્ર ઊડી ગયું, અને હોલિકા ભસ્મ થઈ અને પ્રહલાદનો બચાવ થયો જેના કારણે હોળી પ્રાગટ્ય મનાવવામાં આવે છે.
હોળીની જ્વાળાની દિશા દ્વારા શુભ-અશુભ ફળ
સામાન્ય રીતે હોળીનું પૂજન કંકુ, ચોખા, કોઈ પ્રસાદી રૂપી વસ્તુ હોળી જ્વાળામાં પૂજન અર્થે મુકાય છે અને જલધારા વડે પ્રદાક્ષિણા ફરાય છે. હોળી પ્રાગટ્ય ભદ્રા રહિત કરણમાં કરાય. ભદ્રા એટલે વિષ્ટિ, જો ભદ્રાના સમયમાં પ્રાગટ્ય થાય તો તે પ્રાંત માટે અશુભ ફળ મળે તેવું પણ જાણવા મળે છે.
હોળીની જ્વાળા કઇ દિશા તરફ જાય છે કે ઉપર આકાશ તરફ જાય છે તે મુજબ તેનાં ફળ મળતાં હોય છે, જેમ કે પૂર્વ, દક્ષિણ, પશ્ચિમ, ઉત્તર, ઈશાન, અગ્નિ, નૈઋત્ય, વાયવ્ય વગેરે પરથી શુભાશુભ બાબત તે વર્ષ પૂરતું જણાતી હોય છે. જેમાં ગરમી, વરસાદ, દુકાળ, પૂર, રોગચાળો, મોંઘવારી, દુર્ઘટના જેવી શુભાશુભ બનાવો જેતે પ્રાંત/વિસ્તાર બાબતે કેટલાક લોકો વરતારો કાઢતા હોય છે. હોળી અંગે ઘણા પ્રાંતમાં અલગ મહિમા અને કેટલીક પ્રથા/માન્યતા મુજબ જોવા મળે છે.
ફાગણ પૂનમની રાત મહારાત્રિ હોય છેઃ-
હોલિકાદહનની રાતને પણ દિવાળી અને શિવરાત્રિની જેમ જ મહારાત્રિની શ્રેણીમાં રાખવામાં આવે છે. હોળિકાની રાખને માથા ઉપર લગાવવાનું પણ વિધાન છે. આવું કરવાથી શારીરિક કષ્ટ દૂર થાય છે. આ રાતે મંત્ર-જાપ કરવાથી તે મંત્ર સિદ્ધિ પ્રાપ્ત થાય છે. જીવન સુખમય બને છે, જીવનમાં આવતી બધી પરેશાનીઓનું આપમેળે નિરાકરણ આવી જાય છે.
No comments:
Post a Comment